Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લોટના વેચાણ સામે અપાયા હતા ચેકઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક ડેવલોપર સામે રૂ।.૬-૬ લાખના બે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદમાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના ડેવલોપર યોગેશચંદ્ર ધર્મપ્રકાશ પાંડે નામના આસામીએ અબ્દુલ માનન અંસારી પાસેથી પ્લોટ ડેવલોપ કરવા માટે રૂ।.૧ર લાખમાં પ્લોટ ખરીદ્યો હતો અને તેની સામે રૂ।.૬-૬ લાખના બે ચેક આપ્યા હતા. તે ચેક અબ્દુલ અંસારીએ બેંકમાં રજૂ કરતા પરત ફર્યા હતા.
આ બાબતની બે જુદી જુદી ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી યોગેશચંદ્ર પાંડેના વકીલ રૂચીર રાવલ, સંજય નંદાણીયા, જયવીર વરૂ, યજુવેન્દ્રસિંહ પરમાર, દિનેશ ભોચીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial