Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુર નજીક આરંભડામાં પાથરવામાં આવેલા બીએસએનએલના વાયરની ચોરી

રૂ.૪૮ હજારનો વાયર ચોરાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ઓખામંડળમાં આરંભડામાં  તાજેતરમાં ભારત સંચાર નિગમ લીમિટેડના પાથરવામાં આવેલા વાયરમાંથી એક શખ્સ ૯૬ મીટર વાયર કાપીને લઈ ગયાની આ કંપનીના સાઈટ ઈજનેરે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે રૂ.૪૮ હજારના વાયરની ચોરી અંગે ખંભાળિયાના શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના આરંભડા ગામમાં ભવનાથ મહાદેવ મંદિરથી રૂકનશા પીરની દરગાહ સુધી તાજેતરમાં બીએસએનએલ કંપની દ્વારા કોપર તથા આર્મ્ડ કેબલ નાખવામાં આવ્યો હતો.

એક સ્થળે નાખવામાં આવેલા કેબલમાંથી ૯૬ મીટર વાયર ખંભાળિયાના રામનાથપરામાં રહેતા મેહુલ લખુભાઈ કણઝારીયા નામના શખ્સે કાપીને ચોરી કરી લીધાની બીએસએનએલ કંપનીના સાઈટ ઈજનેર ગનેશ બાબુલાલ મીનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મીઠાપુર પોલીસે રૂ.૪૮ હજારના વાયરની ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh