Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ખીમાણી સણોસરામાં છાતીમાં દુખાવા પછી ખેડૂતનું મોત

મૂળ નેપાળના યુવાનનું ઊંઘની હાલતમાં મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા મૂળ નેપાળના એક યુવાન ગઈકાલે ઉંઘની હાલતમાં મોતની ગોદમાં સરી ગયા છે. ત્યારે કાલાવડના ખીમાણી સણોસરાના ખેડૂતને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક હોટલ પાસે વસવાટ કરતા મૂળ નેપાળના વતની દિલીપકુમાર ઉર્ફે શમુદન દુપા હજરા પાસવાન (ઉ.વ.ર૧) નામના પરપ્રાંતીય યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરે સૂતા હતા. આ યુવાન બેશુદ્ધ જેવી હાલતમાં જણાઈ આવતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. નાગેન્દ્ર સુરૂજાજરા પાસવાને પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં વસવાટ કરતા ઘેલાભાઈ રવજીભાઈ વસોયા (ઉ.વ.૬૯) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે પોતાના ખેતરે પાકમાં પાણી વાળતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. આ વૃદ્ધને સારવાર માટે કાલાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે આ વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી ગયાનું જાહેર કર્યું છે. તેમના પુત્ર અનિલભાઈ વસોયા એ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh