Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો.૧૦ની પરીક્ષાનું ૭૮% ઝળહળતું પરિણામ

૬૪ વિદ્યાર્થિની પૈકી ૫૦ વિદ્યાર્થિની ઉત્તીર્ણ થતા

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૧૬: જોડિયા, તા.૧૦: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી એસ.એસ.સી.ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર ૬૪ વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૫૦ વિદ્યાર્થિનીઓ ઊત્તીર્ણ થતા શાળાનું ૭૮.૧૩% પરિણામ આવ્યું છે. શાળાની ઝાલા નિકિતા મનસુખભાઈ ૫૦૩ ગુણ મેળવી ૮૯.૪૬ પર્સન્ટાઈલ સાથે પ્રથમ, મકવાણા વૈશાલી સોમજીભાઈ ૫૦૦ ગુણ મેળવી ૮૮.૮૬ પર્સન્ટાઈલ સાથે દ્વિતીય અને નોયડા રહીશા આરિફભાઈ અને મકવાણા શ્રુતિ કનુભાઈ ૪૫૦ ગુણ મેળવી ૭૬.૮૯ પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે.

સંસ્થાના ટ્રસ્ટીગણે શાળાના આચાર્યા શ્રી ક્રિષ્નાબા ચુડાસમા,  શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઊત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થિનીને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh