Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરમાં ગોકુલનગર વિસ્તારના ડી.પી. કપાત કરવામાં આવનાર છે. આજે કમિશનર અને તેની ટીમે આ બાબતે સ્થળ મુલાકાત કરી હતી.
જામનગરના ગોકુલનગર હરિયા કોલેજથી સાંઢીયા પૂલ સુધીના ડી.પી. કપાત કરી રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ માર્ગ પર ૮૬ મિલકતો આવેલ છે જેની કપાત થશે. ઉપરાંત નજીકમાં આવેલ રોડને પણ ૨૪ મીટર પહોળો બનાવવા ડી.પી. કપાત થનાર છે.
આ બંને રોડની આજે કમિશનર દિપેશ કેડિયાએ સ્થળ મુલાકાત કરી હતી. હવે આગામી સમયમાં કપાતમાં જતી મિલકત ધારકોને નોટીસ પાઠવાશે અને જેમની મિલકતો કાયદેસર હશે તેમને વળતર ચૂકવાશે અને આ રોડ ઉપરની મિલકતોની પાડતોડ કામગીરી પણ શરૂ કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial