Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના મેયર સહિત પાંચેય હોદ્દેદારોનો કાફલો પહોંચ્યો ગાંધીનગરઃ અટકળો તેજ

વિવિધ કમિટીઓ અંગે ૫ણ ચર્ચા થઈ શકે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ ફરી એક વખત ગાંધીનગર પહોંચ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધિરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, અનેદંડક પ્રવિણાબેન રૂ૫ડિયા વિગેરે ગઈકાલે 'મોટરકારો' મારફત ગાંધીનગરમાં પહોંચ્યા છે. ગઈકાલે બપોર પછી જામનગરથી આ કાફલો રવાના થયો હતો અને આજે સવારે તેમણે ઉચ્ચ પદાધિકારીઓની મુલાકાત કરી હતી. આગામી ટૂંક સમયમાં મહાનગરપાલિકાની જુદી જુદી પેટા સમિતિઓની રચના કરવામાં આવનાર છે. તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના પદાધિકારીઓ એક અઠવાડિયામાં બીજી વખત ગાંધીનગર ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh