Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર તથા માઁ રાંદલના લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૩૦/૩ ને રવિવારે શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પોરબંદરમાં રાખવામાં આવ્યો છે. તા. ર૮/ર સુધીમાં નામ નોંધાવાનું રહેશે.
સમૂહ યજ્ઞોપવિતમાં બટુક દીઠ પચ્ચીસ ભોજન પાસ આપવામાં આવશે. એક્સ્ટ્રા પાસ માટે નિયત રકમ ભરવાની રહેશે. રાંદલ લોટામાં બે લોટા (૧ જોડી) માટે રૂ. રપ૦૦ આયોજન ખર્ચ પેટે જમા કરાવવાના રહેશે. ૧ જોડી દીઠ કુલ ર૦ પાસ આપવામાં આવશે. (૧૪ ગોરણી માટે પ્લસ ૬ ફેમિલી મેમ્બર માટે) તા. ર૮ સુધીમાં નોંધાયેલા બટુકો તથા રાંદલ લોટાનું નામ આમંત્રણ કંકોત્રીમાં છાપવામાં આવશે. બહારગામ તથા વિદેશમાં રહેતા શ્રદ્ધાળું રઘુવંશી પરિવારો પણ રાંદલના લોટા નોંધાવી તેમની બાધા-માનતા પૂરી કરી શકે છે.
પ્રખર વિદ્વાન શાસ્ત્રીશ્રી તેમની ટીમ દ્વારા રઘુવંશી પરંપરા અનુસાર વૈદિક વિધાન સાથે આ શુભકાર્ય કરાવાશે. ફોર્મ તથા વધુ માહિતી વોટ્સએપથી મેળવવા માટે 'જલારામ' લખી મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬ ઉપર મેસેજ મોકલવો.
નામ નોંધાવવા તથા વધુ વિગત મેળવવા માટે સુરેશભાઈ બારાઈ મો. ૭૩૮૩૬ ૬૮૦૦ર, હરિશભાઈ પોપટ મો. ૯રર૮૩ ૮ર૯૪૪ અથવા હિતેષભાઈ ઉનડકટ મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial