Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા રવિવારે સવારે થઈ હતી મારામારીઃ
જામનગર તા.રર : જામજોધપુરના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં એક ખેતર પાસે ભેગી કરીને રાખવામાં આવેલી માટી ત્યાંથી ઉપાડવાના પ્રશ્ને ત્રણ શેઢા પાડોશીએ લાકડી, ખરપીયા, ઢીકાપાટુથી એક યુવાન પર હુમલો કર્યાે હતો.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા મેસુર રાજાભાઈ કોડીયાતરના ખેતર પાસે વિજય લાખાભાઈ મુછાર નામના આસામીએ પોતાના ખેતરમાં નાખવા માટે માટી ભેગી કરીને રાખી હતી. તે માટી ભરવાની મેસુરભાઈ ના પાડી બોલાચાલી કરી ગાળો ભાંડી હતી અને ઝપાઝપી કરી હતી. આ બાબતે વિજયભાઈ તથા અન્ય વ્યક્તિ સમજાવટ કરવા જતાં ગયા રવિવારે સવારે તેમના પર મેસુર રાજાભાઈ, રામા રાજાભાઈ, રાજાભાઈ કોડીયાતર નામના વ્યક્તિઓએ લાકડી, ખરપીયા, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial