Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલમાં કેરીના રસમાં વાંદો નીકળતા હોબાળો

ફુડ વિભાગની ટીમનું ચેકિંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના લાલ બંગલા વિસ્તારની એક હોટલમાં ભોજનની થાળીમાં પીરસાયેલ કેરીના રસમાંથી વાંદો નીકળતા હોબાળો થયો હતો. આખરે ફુડ શાખાની ટીમ દોડી ગઈ હતી. અને હાઈજેનિક કન્ડીશન ન જળવાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ રૂ. ૧૦ હજારની ન્યુસન્સ ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.

જામનગરના સાતેક લોકો ગઈકાલે બપોરે લાલ બંગલા વિસ્તારમાં આવેલ હોટલ ધ ગ્રાન્ડ ચેતના ડાઈનીંગ હોલ એન્ડ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતાં ત્યારે કેરીના રસમાં વાંદો જોવા મળ્યો હતો. આથી ગ્રાહક બી.આર. જાડેજા પ્રથમ રેસ્ટોરન્ટ સંચાલકને અને ત્યાર પછી મહાનગર પાલિકાની ફુડ શાખામાં ફરિયાદ કરી હતી.

આથી ફુડ ઈન્સ્પેકટરો ડી.બી. પરમાર અને એન.પી. જાસોલીયા દોડી ગયા હતાં અને હોટલ, રેસ્ટોરન્ટના રસોડાની મુલાકાત કરી નિરીક્ષણ કર્યુ હતું. જેમાં રસોડાની કન્ડીશન હાઈજેનિક જોવા નહીં મળતા જયાં સુધી હાઈજેનિક કન્ડીશનમાં સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ન્યુસન્સ ચાર્જ પેટે રૂ. ૧૦ હજારની વસુલાત પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh