Advertisement
Author: નોબત સમાચાર

નવા ટોકન ન મેળવનાર કે જૂના ટોકન પર માછીમારી કરનાર ૨૦ બોટ ડીટેઈન

દ્વારકામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: દ્વારકા જિલ્લાના જુદા જુદા દરિયાકાંઠેથી ટોકન વગર કે જૂના ટોકન પર માછીમારી માટે દરિયામાં ગયેલી ૨૦ બોટ તંત્ર દ્વારા ડીટેઈન કરી લેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાક.ની જળસીમાથી તદ્દન નજીક એવા અતિ સંવેદનશીલ દ્વારકા જિલ્લાના ૨૩ પૈકીના ર૧ નિર્જન ટાપુ પર જવા માટે તંત્ર દ્વારા રોક લગાવાઈ છે.

વર્તમાન પરિસ્થિતિમાં ગેરકાયદેસર રીતે માછીમારી માટે જતી બોટનંુ પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ટોકન મેળવ્યા વગર કે જૂના ટોકન પર માછીમારી માટે જતા માછીમારો સામે કાર્યવાહી કરાઈ રહી છે.

તે દરમિયાન બેટ દ્વારકા નજીક સમુદ્રમાંથી નવ, દ્વારકાના સમુદ્રમાંથી ત્રણ, સલાયામાંથી નવ, વાડીનાર નજીકથી એક અને ઓખા નજીકથી પાંચ મળી ૨૦ બોટ નિયમના ભંગ બદલ તંત્ર દ્વારા ડીટેઈન કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh