Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમિક પર મોત બનીને લોખંડની પુલી ત્રાટકીઃ
જામનગર તા. ૧: ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં એક ખેડૂત ખેતર સ્થિત કૂવામાંથી પાણી ભરતી વેળાએ કૂવામાં ખાબકી ગયા હતા. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. કુરંગા પાસે ખાનગી કંપનીમાં એક શ્રમિક પર મોત બનીને લોખંડની પુલી ત્રાટકી હતી.
ખંભાળિયા તાલુકાના સામોર ગામના પાટીયા પાસે રહેતા નથુભાઈ રામશીભાઈ ચાવડા નામના યુવાન શનિવારે સવારે પાંચેક વાગ્યે પોતાના ખેતરે હતા ત્યારે કૂવામાંથી પાણી ભરતી વેળાએ અકસ્માતે કૂવામાં ખાબકી ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું દિનેશભાઈ ચાવડાએ પોલીસમાં જાહેર કર્યું છે.
દ્વારકા નજીક આવેલા કુરંગા ગામમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સુભાષભાઈ લક્ષ્મણભાઈ વનવાસી (ઉ.વ.ર૭) નામના યુવાન શનિવારે કંપનીમાં બ્રીક લાઈનીંગનું કામ કરતા હતા ત્યારે તેમના પર અકસ્માતે લોખંડની પુલી ત્રાટક્તા માથામાં ગંભીર ઈજા થવાથી સુભાષભાઈનું મૃત્યુ થયું છે. તેમના પિતા લક્ષ્મણભાઈ વનવાસીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial