Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી ગણિત સ્પર્ધામાં જામનગરના વિદ્યાર્થીઓ ઝળકયા

એસ્યોર એકેડેમીનું ગૌરવ

                                                                                                                                                                                                      

કમ્બોડીયા ફનોમ પેન્હમાં અલોહિતમ યાત્રાના ભાગરૂપે જામનગરની એસ્યોર એકેડેમીના ચાર વિદ્યાર્થીઓએ અલોહા ઈન્ટરનેશનલ મેન્ટલ એરી થમેટીક ચેમ્પીયનશીપ ૨૦૨૫માં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૭ દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં એસ્યોર એકેડેમીના હિતાંશી શાહ (મેટ-૫) (ચેમ્પીયન), માનિત કારીયા (મેટ-૩) (ચેમ્પીયન) શ્રેયન ચંદરીયા (એમએએસઆર) (ચેમ્પીયન) તેમજ તત્સમ રાયચુરા (મેટ-૧૦) ફર્સ્ટ રનર્સ એપ) વિજેતા થયા હતાં. આ વિદ્યાર્થીઓને નીલા ઝીંઝુવાડીયા, રિદ્ધિ પારેખ, એકેડેમીની ટીમના સંચાલક અને એમડી ઉદય કટારમલે કમ્બોડીયા સુધી સાથે રહીને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સ્પર્ધા પૂર્વે મોટીવેશનલ સેસન્સ, શાળાના પ્રિન્સિપાલ વગેરે દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh