Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીતુભાઈ લાલ-પરિમલભાઈ નથવાણીનું આયોજન
ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં મહાદેવ વાડા વિસ્તારમાં પ.પૂ.પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિરના ટ્રસ્ટી તથા જામનગર અગ્રણી જીતુભાઈ લાલના પ્રયાસોથી દોઢેક કરોડના ખર્ચે આ રામ સંકીર્તન મંદિર બનાવવા માટે ખંભાળીયાના વતની પરિમલ નથવાણી દ્વારા આયોજન કરીને આગામી તા. ૭-૮-૨૫ના મંદિરનું ભૂમિપૂજન યોજવામાં આવ્યું છે.
તા. ૭-૮-૨૫ના ગુરૂવારે બપોરે ૧૨:૧૫ કલાકે રિલાયન્સના ધનરાજ પરિમલ નથવાણીના હસ્તે ભૂમિપૂજન થશે. તા. ૭-૮-૨૫થી તા. ૮-૮-૨૫ (૨૪ કલાક) અખંડ રામધૂન યોજાશે.
આ મંદિરના નિર્માણ કાર્ય માટેનું આયોજન હરિનામ સંકીર્તન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી દીપકભાઈ ડી. દત્તાણી, જીતુભાઈ લાલ, નિશીથકુમાર ઢેબર, પ્રવીણભાઈ છગ, જેઠાલાલ નકુમ, ભાલચંદ્ર ઠાકર, હરીશભાઈ જોશી, રમણીકભાઈ લાલ દ્વારા હાથ ધરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial