Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ ઘેડની ખેતીની જમીન અંગે અદાલતમાં કાયમી મનાઈહુકમનો દાવો

વાદી દ્વારા પાર્ટીશન પણ માંગવામાં આવ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના નવાગામ ઘેડમાં આવેલી ચાર રેવન્યુ સર્વે નંબરવાળી ખેતીની જમીન અંગે પાર્ટીશન તથા કાયમી મનાઈહુકમ માટે અદાલતમાં દાવો કરવામાં આવ્યો છે.

જામનગરના નવાગામ ઘેડમાં રે.સ.નં. ૯૨, ૯૪, ૯૫, ૯૬માં વિજયાબેન નરશીભાઈ રાઠોડ વગેરેની સંયુક્ત વારસાઈવાળી જગ્યા આવેલી છે. તેમાંથી માસી અમૃતબેનનું નામ કમી કરાવવાનું છે તેમ જણાવી રણછોડ બચુભાઈ મકવાણા, મનસુખ વસરામ મકવાણાએ સહી કરાવી હતી.

તે પછી વિજયાબેનનું નામ કમી કરાવી નાખવામાં આવ્યું હતું. તેની નોંધ ગયા એપ્રિલ મહિનામાં પ્રમાણિત થઈ હતી. સહી કરાવી ગયા પછી બે મહિના સુધી રણછોડ કે મનસુખે કોઈ માહિતી ન આપતા વિજયાબેને પોતાના પુત્રને કહી રેવન્યુ રેકર્ડ કઢાવતા તેઓને પોતાનું જ નામ કમી થઈ ગયાનું જણાઈ આવ્યું હતું.

આ બાબતે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાવાયા પછી ગયા મહિનામાં રે.સ.નં.૯રની જગ્યાનો દસ્તાવેજ કરાવી નખાયો હતો અને ૯પ તથા ૯૬ વાળી જમીન અંગે સોદો કરાતા જાહેર નોટીસ પ્રસિદ્ધ થઈ હતી. તેની સામે વિજયાબેને વાંધો લીધા પછી રણછોડ તથા મનસુખ સામે પોલીસમાં અરજી કરી હતી. હક્ક કમીની નોંધ રદ્દ ઠરાવવા માટે અને કાયમી મનાઈહુકમ મેળવવા વિજયાબેન નરશીભાઈ રાઠોડે પાર્ટીશનની દાદ માંગતો દાવો અદાલતમાં કર્યાે છે. વાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, અવિનાશ ગોહિલ, વિજય નકુમ, બિપીન મહેશ્વરી, ઓમ વાઘેલા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh