Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલ-ર૦રપ
અમદાવાદ તા. રઃ આવતીકાલે (૩-જૂન-ર૦રપ) ના અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ રમવાની છે, ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થિમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સેરેમનીમાં ત્રણેય સેનાના વડાઓ આવશે કે નહીં તે સાંજ સુધીમાં ફાઈનલ થશે. ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમ તિરંગા કલરની લાઈટ સજાવાશે અને સિંગર શંકર મહાદેવન ન.મો. સ્ટેડિયમને ગજવશે.
બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્, અધિકારીઓ અને સૈનિકોને અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે.
સશસ્ત્રદળોને સમર્પિત સેરેમનીઃ
બીસીસીઆઈ સેક્રેટરી સૈકિયાએ કહ્યું હતું કે, સેના પ્રત્યે પ્રશંસાના પ્રતિક તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને અમારા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ક્રિકેટ એક રાષ્ટ્રીય ઝનૂન છે, ત્યારે આપણા રાષ્ટ્ર અને એની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાથી મોટું કંઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial