Advertisement
Author: નોબત સમાચાર

હાપામાં રહેણાંક મકાનમાં સોમવારની રાત્રે તસ્કર ઘૂસ્યોઃ ૬૭ હજારની મત્તા ઉસેડાઈ ગઈ

રૂા.૫૦ હજાર રોકડા તથા ૧૭ હજારનો મોબાઈલ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગર નજીકના હાપામાં મુખ્ય બજાર પાસે એક મકાનમાં વસવાટ કરતા પ્રૌઢના મકાનમાં સોમવારની રાત્રિના સમયે ઘૂસેલા કોઈ તસ્કરે ૫૦ હજાર રોકડા તથા રૂા.૧૭ હજારના મોબાઈલની ઉઠાંતરી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જામનગર નજીકના હાપા તરફ જવાના રોડ પર મુખ્ય બજારમાં એક દવાખાના સામે વસવાટ કરતા ઈન્દ્રકુમાર અરજણદાસ પરસરામાણી નામના આસામીના મકાનમાં સોમવારની રાત્રીના સમયે કોઈ તસ્કરે ખાતર પાડ્યું હતું.

તેમના મકાનમાં અંદાજે સાડા બારેક વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમિયાન ઘૂસી ગયેલા કોઈ શખ્સે અંદરથી રૂા.૧૭ હજારની કિંમતનો નથીંગ કંપનીનો મોબાઈલ ઉઠાવવા ઉપરાંત રૂા.૫૦ હજાર રોકડા પણ ચોરી કરી લીધા છે. આ બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી ધસી ગયો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh