Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ભંડારીયામાં રૂા.૧૬ લાખ સામે રૂા.૨૩ લાખ ચૂકવાયા પછી પણ મળી ધમકી

ચાર શખ્સ સામે વ્યાજ વટાવની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ ખંભાળિયાના ભંડારીયા ગામમાં એક આસામીએ રૂા.૧૬ લાખ હાથઉછીના લીધા પછી બે વર્ષમાં રૂા.૨૩ લાખ ૩૭ હજાર ચૂકવી આપ્યા પછી પણ ચાર શખ્સ ધમકી આપતા હોય અને રૂા.૨૦ લાખનો ચેક રિટર્ન કરાવી લેવાયો હોય, પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામ નજીક સુતારીયા વાડી વિસ્તારમાં વસવાટ કરતા મેરામણભાઈ કચરાભાઈ કનારા નામના ખેડૂતે પૈસાની જરૂર પડતા બેએક વર્ષ પહેલા રૂા.૧૬ લાખ એભાભાઈ વજસીભાઈ કનારા, ડાડુભાઈ વજસીભાઈ, દેવશીભાઈ વજસીભાઈ, રાજુભાઈ દેવશીભાઈ પાસેથી હાથઉછીના લીધા હતા.

તે રકમ સામે રૂા.૨૩,૩૭,૦૦૦ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ પૈસાની માગણી કરતા ચારેય શખ્સે બળજબરીથી સહી કરાવી પાંચ કોરા ચેક લઈ લીધા પછી એક ચેકમાં રૂા.૨૦ લાખની રકમ ભરી બેંકમાં જમા કરાવી દઈ રિટર્ન કરાવ્યો હતો. તે પછી જાનથી મારી નાખવાની ધમકી અપાતા અને ગાળો ભાંડવામાં આવતા મેરામણભાઈ કનારાએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh