Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એક્યુપ્રેશર સુઝોક તથા મેગ્નેટ પદ્ધતિનો નિઃશુલ્ક કેમ્પ

આગામી સોમવારથી પાંચ દિવસીય આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર શ્રી નારણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ, ગોકુલનગરના સહયોગથી નારણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ, નારણનગર-ર ના છેડે, રડાર રોડ, ગોકુલનગરમાં તા. પ-૭-ર૦ર૬ થી તા. ૯-૭-ર૦ર૬ સુધી સવારે ૯ થી ૧ર સાંજે ૪ થી ૬ સુધી સર્વ રોગ નિદાન કેમ્પમાં એક્યુપ્રેશર સુઝોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ચિકનગુનિયા, જુના સાંધાના દુઃખાવા, કમર દર્દી, પેટના રોગો, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળું અને દરેક બીમારીઓનો નિદાન વગર દવાઓ (હાથ અને પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. આ કેમ્પના દાતા ચંદુભાઈ મોહનભાઈ સાંગાણી (ધનંજય બાથ ફિટિંગ ઈન્ડિયા) છે. આ કેમ્પમાં ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા હેમતકુમાર સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh