Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકાએ પહોંચ્યુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરમાં વરસાદી માહોલના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ૬ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું. પોણા ડિગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી ૩૩ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં ગઈકાલે સવારથી જ નભમાં થતી વાદળોની ચહલ-પહલમાં વધારો નોંધાયો હતો. મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ૬ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકાએ પહોંચી ગયું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે સવારથી બપોર સુધી બફારાનું પ્રમાણ વધુ રહેતા નગરજનો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં. બપોરે મેઘરાજાની શાહી સવારી શહેરમાં આવી પહોંચી હતી વરસાદના પગલે બપોરથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૩૫થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh