Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સિંધી સમાજના સુફી સંત શહીદ કંવરરામ સાહેબની ૧૪૦મી જન્મજયંતી ઉજવાશે

સંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથાનું ૧૦ એપ્રિલથી ત્રિદિવસીય આયોજન

જામનગર તા. ૯: જામનગરના નાનકપુરીમાં આવેલ સિંધી સમાજના સૂફી સંત અમર શહીદ કંવરરામ સાહેબનાના ૧૪૦ જન્મોત્સવને લઇ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની અમરકથાનો ત્રિદિવસીય આયોજન બાદ ચોથા દિવસે ભગત કંવરરામ સાહેબના જન્મજ્યંતીની ઉજવણી કરાશે.

તા. ૧૦ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ભગવાન ઝુલેલાલ જીવની  ઝુલેલાલ અમરકથા નું ત્રિદિવસીય આયોજન કરાયુ છે જેમાં ઇન્દોર થી કથાવચક ગુરમુખદાસ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે આ કથાનું વ્યાસપીઠેથી કંઠન કરી ભક્તોને કથાનું રસપાન કરાવશે. આ કથાની તા.૧૨ એપ્રિલના સમાપ્તી કરી ભોગ લગાવવામાં આવશે અને રાત્રિના ઝુલેલાલ મ્યુઝિક સત્સંગ ભજનનું આયોજન કરાયું છે. જે બાદ ૧૩ એપ્રિલે ભગત કંવરરામ સાહેબના ૧૪૦ મો જન્મોત્સવ તિથિની ઉજવણી કરાશે જેમાં સવારે ધ્વજારોહણ કરી મંગલા આરતી બાદ સાંજે ૬ કલાકે મંદિર નજીકના વિસ્તાર માં ફેરી સરઘસ કાઢવામાં આવશે પછી ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે.

આ તકે ધર્મપ્રેમીઓને ત્રિદિવસીય કથાનો અને  જન્મજયંતી પ્રસંગનો લાભ લેવા સંત કંવરરામ સાહેબ મંદિર સેવા સમિતિએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh