Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના રૂકિમણી મંદિરે પરંપરાગત રીતે ઉજવાયો ઠાકોરજી-માતાજીનો લગ્નોત્સવ

માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન

ચૈત્ર સુદ અગિયારસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂકિમણીજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હતો. દ્વારકાના રૂકિમણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઉજવાયો હતો. તા. ૦૭-૦૮ એપ્રિલ દરમ્યાન ઉજવાય શ્રીજી - શ્રી પટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકૂટ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ વિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજારી અરૂણભાઈ દવે તથા કંદર્પભાઈ દવે તેમજ લગ્નોત્સવમાં મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશજી અને શ્રીરૂકિમણી માતાજીનો લગ્નોત્સવ ઉજવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh