Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાસુએ ધક્કો મારીને પછાડી દીધાની કેફિયતઃ
જામનગર તા. ૨૮: જામનગરના ગોકુલનગર પાસે મયુરનગરમાં બુધવારે એક પરિણીતા પોતાના સાસરે સામાન લેવા આવ્યા ત્યારે તેણીને પતિ, સાસુ, સસરા તથા અન્ય એક યુવતીએ માર મારી ગાળો ભાડ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલા મયુરનગરથી પ્રજાપતિની વાડી પાસે શેરી નં.રમાં રહેતા દક્ષાબેન અજયભાઈ વરદોરીયા નામના પરીણીતાએ પતિ અજય, સસરા હરેશભાઈ લખુભાઈ, સાસુ વિજયાબેન તથા રીનાબેન વિરમભાઈ રાઠોડ સામે માર માર્યાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દક્ષાબેન બુધવારે બપોરે પોતાના સાસરે સામાન લેવા માટે આવ્યા હતા ત્યારે પતિ અજયભાઈ તથા સસરા હરેશભાઈએ તેણીને લાતો વડે માર માર્યાે હતો. જ્યારે સાસુએ ધક્કો મારીને તેણીને પછાડી દીધા હતા અને રીનાબેને વાળ પકડીને ઢસડ્યા હતા. તમામ વ્યક્તિએ ગાળો ભાંડી ત્રાસ આપ્યો હતો. પોલીસે બીએનએસની કલમ ૮૫, ૧૧૫ (ર), ૩૫૨, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial