Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલમાં આગ લાગ્યા પછી વળતર ન ચૂકવાતા ગ્રાહક ફોરમમાં રાવ

વીમા કંપનીના પ્રતિનિધિને હાજર થવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરની એક હોટલમાં ગઈ તા.૩-૯-ર૪ની રાત્રે કોઈ રીતે આગ ભભૂકી હતી અને હોટલમાં રૂ.૧૦ લાખથી વધુનું નુકસાન થયું હતું. હોટલની વીમા કંપનીને તે અંગેની જાણ કરવામાં આવ્યા પછી પણ ક્લેઈમ ચૂકવવામાં ન આવતા આખરે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરમાં લાઈમ ટ્રી હોટલ એન્ડ રિસોર્ટ ચલાવતા નીક્કી નીતિનભાઈ પોપટે ટાટા એઆઈજી જનરલ ઈન્સ. કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે દરમિયાન હોટલમાં આગ લાગી જતા નુકસાન થયું હતું.

તે નુકસાન અંગે વળતર મેળવવા વીમા કંપનીને જાણ કરાતા વીમા કંપની દ્વારા સર્વેયર મોકલવામાં આવ્યો હતો. તે પછી પણ વીમા કંપનીના એજન્ટે ક્લેઈમ સેટલ ન કરી આપતા નીક્કી પોપટે પોતાના ખર્ચે રૂ.૧૦,૫૧, ૨૧૫નું રીપેરીંગ કામ કરાવ્યું હતું. ત્યારપછી પણ વીમા કંપનીએ ક્લેઈમ ન ચૂકવતા વીમા કંપની સામે ગ્રાહક ફોરમ માં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh