Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉમંગભર્યા માહોલમાં
ખંભાળિયા તા. ૩૦: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ ખંભાળિયા તાલુકાના હાપીવાડી પ્રાથમિક શાળા અને કબર વિસોત્રી પ્રાથમિક શાળાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
રાજયના પ્રવાસન મંત્રીએ હાપીવાડી અને કુબેર વિસોત્રી ગામે ૧૧૩ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ તકે મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી બે દાયકા પૂર્વે કન્યા કેળવણી અને બાળકોના ૧૦૦ ટકા શાળાઓમાં નામાંકન થાય તે માટે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમાજોત્સવ બની ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે.
વધુમાં મંત્રીએ કહૃાું કે, શાળા પ્રવેશોત્સવ એ બાળકો માટે શિક્ષણ જગતમાં પ્રવેશવાનું પ્રથમ ડગલું છે. બાળકોના જીવન ઘડતરમાં જો કોઈએ અમૂલ્ય યોગદાન આપ્યું તે શાળાઓનું છે. શિક્ષકોએ માત્ર બાળકોને શિક્ષણ નઈ પરંતુ જીવન જીવવાનો માર્ગ બતાવે છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત હાપીવાડી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૪૪ અને ધોરણ - ૧માં ૫૮ સહિત કુલ ૧૧૩ જેટલા ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આભારવિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ કોઈએ મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અંગેની શપથ લેવામાં આવ્યા હતા.
ઉપરાંત શાળાના દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ ૩ થી ૮ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, વધુ હાજરી ધરાવતા અને સીઈટી તથા એનએમએમએસ જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવાનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી અશ્વિન જાદવ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા, અગ્રણી સગાભાઈ રાવલીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, સરપંચ સહિત તાલુકા પંચાયત સદસ્યો, એસએમસીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial