Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી

રાહતના સમાચાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે વધુ એક દર્દીને કોરોનામુક્ત જાહેર કરાયા છે અને હાલ આઠ એકટીવ કેસ છે.

જામનગરમાં છેલ્લા અનેક દિવસો સુધી કોરોનાના દરરોજ આઠથી દસ કેસ નોંધાતા હતાં. પરંતુ પાછલા અઠવાડિયાથી તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને એકાદ-બે કેસ જ નોંધાતા હતાં. તેમાં પણ છેલ્લા બે દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી. શનિવારે કોઈ નવો કેસ નોંધાયો ન હતો અને ત્રણ દર્દીને કોરોનામુક્ત જાહેર કરાયા હતાં. જ્યારે રવિવારે પણ કોઈ નવો કેસ નોંધાયો ન હતો અને એક દર્દીને કોરોનામુક્ત જાહેર કરાયા હતાં.

આ આજની સ્થિતિએ આઠ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જામનગરમાં કોરોનામાં રાહત જોવા મળતા તંત્ર-લોકોએ પણ રાહત અનભુવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh