Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ર૦ના મરણ

અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને

                                                                                                                                                                                                      

લખનૌ તા. રરઃ ઉત્તરપ્રદેશમાં અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને વાવાઝોડા તથા ભારે વરસાદના કારણે ર૦ લોકોના મરણ થયા હતાં. ઘણાં ગામોમાં આગ લાગી હતી. આ ઉપરાંત અનેક લોકોના માલ-સામાનને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

બદાયું જિલ્લામાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને વરસાદ તૂટી પડ્યો હતો. જરીફનગરના ઘણાં ગામોમાં આગ લાગવાથી ૮૦ થી વધારે ઘર સળગી ગયા હતાં.

આ જોરદાર વાવાઝોડા અને વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી, તો જનજીવન પણ ખોરવાઈ ગયું. બુધવારે સાંજે ઉત્તરપ્રદેશમાં આવેલા વાવાઝોડાએ ઘણી અરાજકતા સર્જી છે. ક્યાંક ક્યાંક વૃક્ષો, વીજળીના થાંભલા અને દિવાલો પડી ગયા, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. સી.એમ. યોગીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવા નિર્દેશ આપ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, મુરાદાબાદ, મેરઠ, અલીગઢ, બાગપત સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડું જોવા મળ્યું છે. જોરદાર વાવાઝોડાને કારણે ઘણા જિલ્લાઓમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh