Advertisement
Author: નોબત સમાચાર

ઘરકામ તથા મોબાઈલ ચેક કરવાના મુદ્દે બોલાચાલી પછી શ્રમિકનું વિષપાન

કાલાવડના વિભાણીયામાં શ્રમિકની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: કાલાવડના વિભાણીયા ગામે ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મહિસાગર જિલ્લાના એક યુવાને ઘરકામ તથા મોબાઈલ ચેક કરવાની બાબતે પત્ની સાથે બોલાચાલી થયા પછી મંગળવારે વિષપાન કરી લીધુ હતું. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના મોટાભાઈનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં આવેલા બાબુભાઈ મુળજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહી સાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની દિનેશભાઈ મસુરભાઈ વાદી (ઉ.૨૦) નામના શ્રમિકે મંગળવારે રાત્રે તે ખેતરમાં જ કોઈ ઝેરી દવા પીધી હતી.

સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા દિનેશ ભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ સુભાષ વાદીએ પોલીસને જાણ કરી છે તેઓએ જણાવ્યા મુજબ દિનેશભાઈને તેમના પત્ની સાથે ઘરકામ બાબતે બોલાચાલી થયા પછી દિનેશભાઈનો મોબાઈલ તેમના પત્નીએ ચેક કર્યાે હતો. તે પછી માઠું લાગી આવતા દિનેશભાઈએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh