Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા પંથકમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીની મુક્તિ

સાડા પાંચેક વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જોડિયા પંથકમાં સાડા પાંચેક વર્ષ પહેલાં એક પરિણીતા પર દુષ્કર્મ ગુજારાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી તેનો છૂટકારો ફરમાવ્યો છે.

જોડિયા પંથકમાં વર્ષ ૨૦૧૯માં એક પરીણીતા પોતાના રહેણાંકમાં રસોઈ બનાવતા હતા ત્યારે નરેશ બાંભણીયા નામનો શખ્સ તમાકુ લેવાના બહાના હેઠળ આવ્યો હતો અને તેણે આ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું તેવી ફરિયાદ પોલીસમાં કરાતા નરેશ સામે પોલીસે આઈપીસી ૩૭૬ (૧) (ર) (એફ) તથા પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ શખસને જેલહવાલે કરાયા પછી તે કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૧૯ સાક્ષી રજૂ કર્યા હતા. બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો પછી આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નરેશ છતરાભાઈ બાંભણીયાનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જયન ગણાત્રા, પ્રતાપ જામ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh