Advertisement
Author: નોબત સમાચાર

ઉકરડા-કચરાના ઢગલા નહીં હટાવાય તો જામ્યુકોના જનરલ બોર્ડમાં ઠાલવવા કોર્પોરેટરની ચિમકી

જામનગરના વોર્ડ નં. ૪ના ખડખડનગરમાંથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના વોર્ડ નં. ૪માં કચરાના પોઈન્ટ ઉપરથી કચરો ઉપાડવામાં આવતો નથી. આ અંંગે સ્થાનિકોને સાથે રાખીને કોર્પોરેટર દ્વારા આક્રોશ વ્યક્ત કરી ફરિયાદ કરવાની ચિમકી આપી છે. સાથોસાથ કચરો જનરલ બોર્ડમાં ઠાલવવાની પણ ચિમકી આપી છે.

જામનગરના વોર્ડ નં. ૪ના ખડખડનગર વિસ્તારમાં કચરાના પોઈન્ટ ગંદકીથી ખદબદી રહ્યું છે. સફાઈ કામદારો શેરીમાં કચરો વાળી ઉપાડીને અહીં ઢગલા કરે છે. પરંતુ અહીંથી કચરો લઈ જવામાં આવતો નથી આથી ચોતરફ ગંદકી ફેલાઈ રહી છે.

આજે અહીંના સ્થાનિક રહીશો એક્ત્ર થયા હતા અને સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પણ ત્યાં પહોંચ્યા હતા અને મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને ચિમકી આપી હતી કે જો આવતીકાલ સુધીમાં કચરાનો ઉપાડવામાં નહીં આવે તો પી.એમ. અને સી.એમ. પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવશે. અને જો બે દિવસમાં પણ કચરો ઉપાડવામાં નહીં આવે તો શુક્રવારે યોજાનારી સામાન્ય સભા (જનરલ વોર્ડ)માં કચરો ઠલવાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh