Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવેલા સંત કબીર આવાસના ફ્લેટમાં એક માસુમ બાળક રૂમમાં પૂરાઈ ગયો

પાડોશીઓએ દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના એક આવાસના મકાનના ફ્લેટમાં બાળક ફસાઈ જતા પડોશીએ રૂમનો દરવાજો તોડીને બાળકને બહાર કાઢ્યો હતો.

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારના સંત કબીર આવાસ યોજનાના ફ્લેટમાં રહેતા એક પરિવારનો બે વર્ષનો બાળક રૂમમાં હતો અને દરવાજો બંધ થઈ જતા પરિવારજનોની દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ અડોશપડોશના ફ્લેટમાં રહેતા લોકો દોડી આવ્યા હતાં અને રૂમનો દરવાજો તોડીને માસુમને હેમખેમ બહાર કાઢ્યો હતો. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને પણ કરવામાં આવી હતી, જો કે તેમની ટૂકડી આવે તે પહેલા બાળક રૂમની બહાર નીકળી ગયો હતો. આમ થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh