Advertisement
Author: નોબત સમાચાર

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને દિલ્હીની કોર્ટમાં રાહતઃ ઈડીની ચાર્જશીટ ફગાવી

સીબીઆઈએ મૂળ ગુન્હો જ નોંધ્યો નથી, તેમ છતાં ઈડી શેની તપાસ કરે છે?: રાઉઝ એવન્યુ કોર્ટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે, કારણકે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ઈડીની ચાર્જશીટ ફગાવી દીધી છે.

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરીંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરીંગન ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સુનાવણીની શરૂઆતમાં કોર્ટે આર્થિક ગુના નિવારણ સેલની ફરિયાદ સંબંધિત રિવિઝન અરજી પર આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 'ઈઓડબલ્યુ એફઆઈઆર નકલ હાલ માટે સોનિયા ગાંધી સહિતના આરોપીઓને પૂરી પાડવામાં આવશે. નહીં.' ત્યારપછી કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસના તથ્યોને રેકોર્ડમાં વાચ્યા અને પછી ઈડીની ચાર્જશીટ પર પોતાનો આદેશ સંભળાવ્યો.

આ આદેશમાં કોર્ટે ઈડીની ચાર્જશીટ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. દિલ્હી કોર્ટે ઈડીની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વપૂર્ણ સવાલ ઊઠાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, 'સીબઈઆઈએ હજી સુધી કોઈ 'પ્રિડિકેટ ગુનો' (મૂળ ગુનો) નોંધ્યો નથી, તેમ છતાં ઈડી શેની તપાસ ચાલુ રાખે છે.'

કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે મૂળ ગુનો (પ્રિડિકેટ ગુનો) નોંધાયેલો જ ન હોય, ત્યારે મની લોન્ડરીંગ તપાસ કેવી રીતે આગળ વધી શકે. આ કાયદાકીય આધાર પર કોર્ટે ઈડીની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઈનકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધી પરિવાર માટે નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો આ નિર્ણયને એક મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવે છે, કારણ કે તે ટ્રાયલ પ્રક્રિયાને આગળ વધતા અટકાવશે. ઈડીએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની સંપત્તિ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદે રીતે હસ્તગત કરવામાં આવી હતી અને મની લોન્ડરીંગ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને રાજકીય રીતે પ્રેરિત કેસ ગણાવ્યો છે અને કહ્યું છે કે, 'આમાં કોઈ વ્યક્તિગત નાણાકીય લાભ લેવામાં આવ્યો નથી.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh