Advertisement
Author: નોબત સમાચાર

જીપીએસસીની ૧૧ મેના પરીક્ષા યથાવત્

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં અપડેટઃ

                                                                                                                                                                                                      

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત ૯ આતંકી ઠેકાણાને નષ્ટ કરી મૃતકોની મોતનો બદલો લીધો હતો, જો કે ત્યારપછીથી પાકિસ્તાને ભારતીય સરહદો પર હુમલો શરૃ કરી દેતા બન્ને દેશો વચ્ચે તણાની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતની કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. એવામાં હવે રવિવારે (૧૧ મે) યોજાનારી જીપેએસસીની પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતીકાલ તા. ૧૧ મે ના લેવાનારી પરીક્ષા યથાવત્ રહેશે.' નોંધનીય છે કે, જીપીએસસી દ્વારા રવિવાર, તા.૧૧ મેના આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર (જીપીસીબી) ક્લાસ-રની પરીક્ષાનું આયોજન કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh