Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટર માટે પાઈપલાઈનના કામને લઈને
જામનગર તા. ૧૦ઃ જામનગર ના કનસુમરા પાટિયા પાસેનો માર્ગ આજ તા.૧૦ થી ૩૦ જૂન સુધી ભૂગર્ભ ગટરની કામગીરીના અનુસંધાને બંધ રાખવામાં આવનાર છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદી, આઈ.એ.એસ. કમિશનર દ્વારા બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૃએ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં વોર્ડ નં-૧૫, નેશનલ હાઇવે-૧૫૧ - એ કનસુમરા પાટિયાની સામેના રસ્તામાં, સંસ્કારદીપ હોટલથી મયુર એવેન્યુના ગેટને જોડતા રસ્તા સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૃપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી તા.૧૦-૦૫-૨૦૨૫ થી તા.૩૦-૦૬-૨૦૨૫ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રાખવા માં આવશે. જેનો અમલ કરવા નો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
વોર્ડ નં-૧૫, નેશનલ હાઇવે-૧૫૧-એ, કનસુમરા પાટિયાની સામેના રસ્તામાં, સંસ્કારદીપ હોટલ થી મયુર એવેન્યુના ગેટ સુધી નો રોડ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વોર્ડ નં-૧૫, નેશનલ હાઇવે-૧૫૧ -એ, મેગા મોલની પાસેના રસ્તામાં પટેલ જનરલ સ્ટોર્સથી આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ થઈને મયુર એવેન્યુના ગેટને જોડતો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial