Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામિત્વ યોજના હેઠળ
ખંભાળિયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા એસ.એલ.આર. કચેરી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત મોટા માંઢા તથા દાંતા ગામોમાં મુલાકાત લઈ પ્રોપર્ટી કાર્ડ ચકાસણી કરાઈ હતી.
સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત દેવભુમિ દ્વારકા સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા ખંભાળીયા તાલુકાના મોટા માંઢા તથા દાંતા ગામોના તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડની ચકાસણી કરવામાં આવી હતી. ખંભાળીયા સિટી સરવે કચેરીના સિનિયર સરવેયર તથા એસ.એલ.આર. કચેરીના સરવેયર દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી, જે મુજબ મોટા માંઢાની જુના ગામતળની મિલકતો આકારણી મુજબ ૩૩૬ મિલકતધારકો પૈકી ૧૮૩ મિલકતધારકોના પ્રોપર્ટીકાર્ડ તેમજ દાંતા ગામે આકારણી મુજબ ૨૭૬ મિલકતધારકો પૈકી ૭૦ મિલકતધારકોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયેલ છે.
આ સાથે ગામની સરકારી મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તેમજ આ મિલકતોનું ક્ષેત્રફળ તથા સ્થળ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ તકે બન્ને ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને સ્વામિત્વ યોજના અંગેની સમજુતી આપવામાં આવી હતી. ઉપરાંત તૈયાર થયેલ પ્રોપર્ટીકાર્ડને લગતા પ્રશ્નો કે વાંધા બાબતે સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial