Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલહવાલે રહેલા ત્રણ આરોપીએ માંગ્યા હતા જામીનઃ
જામનગર તા. ૧૨: જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટલના એકાઉન્ટન્ટ પર બે સપ્તાહ પૂર્વે થયેલા જીવલેણ હુમલાના કેસમાં જેલહવાલે થયેલા ત્રણ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે.
જામનગરની ભાગોળે આવેલી સમર્પણ હોસ્પિટલ પાસેની વિશાલ ઈન્ટરનેશનલ હોટલના એકાઉન્ટન્ટ પર થોડા દિવસો પહેલા મિલન હંજડા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા તથા અજાણ્યા કેટલાક શખ્સોએ હુમલો કરી આડેધડ માર માર્યાે હતો.
આ હોટલની ભાગીદારો વચ્ચેની તકરારમાં એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો થતાં નોંધાવાયેલી ફરિયાદમાં જામનગરના ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ સહિતના વ્યક્તિઓનું નામ આપવામાં આવ્યું હતું. આરોપી પૈકીના લખન ચંદ્રકાંત ભદ્રા, અમિત ઈશ્વર નંદા, નવીન રમેશ કટારમલની ધરપકડ કરાઈ હતી. જ્યારે આરોપીમાંથી કિરીટભાઈ ભદ્રા, અનિલ વિનોદભાઈ, વિપુલ, અર્જુન ભદ્રા વગેરેની ધરપકડ બાકી છે. જેલહવાલે થયેલા લખન, અમિત તથા નવીન કટારમલે જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા મૂળ ફરિયાદી તરફથી રોકાયેલા વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીઓની અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial