Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૪ લાખના ચેક પરતની હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૦: જામનગરના એક આસામીને રૂા.૪ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે અદાલતમાં કરવામાં આવેલી અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે.
જામનગરના સિદ્ધરાજ સિંહ દેવીસંગ જાડેજા પાસેથી રૂા.૪ લાખ અશોક શંકરભાઈ કનખરાએ પાંચ દિવસ માટે હાથઉછીના લીધા પછી પાંચ દિવસ વિત્યે ચેક લખી આપ્યો હતો.
તે ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. તેથી અદાલતમાં અશોક શંકરભાઈ કનખરા સામે ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે આરોપીએ જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial