Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ વીજતંત્રની બેદરકારીના કારણે રામનાથ સોસાયટીમાં વોલ્ટેજ વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન

વખાણેલી ખીચડી દાઢે વળગી !!

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયામાં વીજ તંત્ર દ્વારા ટ્રાન્સ્ફોર્મરો બદલવા, જુના વીજવાયરો બદલવા જેવા કાર્યોની વાહવાહી વચ્ચે વીજતંત્રની બેદરકારી પણ સામે આવી છે. વીજતંત્રના જ કર્મચારીઓની આળસ અને બેદરકારીના કારણે રામનાથ સોસાયટીમાં વોલ્ટેજમાં ભારે વધઘટ થવાથી અનેક લોકોના ઘરમાં વીજ ઉપકરણોને નુકસાન થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રામનાથ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વીજ વોલ્ટેજ બે ટ્રાન્સ્ફોર્મર પાસે ડીઓ એકમાં ઉડી જતા બે ડીઓને લીધે વોલ્ટેજ વધઘટ થઈ હતી. જાગૃત નાગરિક દ્વારા તુરત જ વીજતંત્રને ફરિયાદ કરાઈ હતી, પરંતુ વીજતંત્ર દ્વારા મોકલાયેલા કર્મચારીઓ દ્વારા વીજ પુરવઠો બંધ નહીં કરાતા તથા ફોલ્ટ શોધવા તથા રીપેરીંગમાં વાર લગાડતા કેટલાય લોકોના ફ્રીઝ તથા ટી.વી યુનિટોના ઉપકરણોને નુકસાન થયું હતું.

ઝડપથી કામગીરી થઈ હોત તો આ નુકસાન ન થાત, પણ લાંબો સમય થતા આ પ્રશ્ન થયો હોય, પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની ઢીલી કામગીરીથી આવું નુકસાન થતા રોષની લાગણી ફેલાઈ છે. આવા ફોલ્ટમાં ઝડપી કામગીરી કરવા માંગણી કરાઈ છે. જાણકાર અનુભવી કર્મીઓને તુરત મોકલાય તો ઝડપી કામગીરી થાય તેવું જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh