Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ) સંવર્ગની પરીક્ષા મોકૂફઃ
જામનગર તા. ૧૦: જામનગર મહાનગર પાલિકામાં ત્રણ સંવર્ગની જગ્યા પર સીધી ભરતી કરવા માટે તા. ૧૮-૧-૨૬ના પરીક્ષા લેવામાં આવનાર છે. જામનગર મહાનગર પાલિકામાં ટેકનિકલ અને વહીવટી સંવર્ગની ખાલી જગ્યામાં ભરતી કરવા ઓનલાઈન અરજીફોર્મ મંગાવાયા હતા. અગાઉ ચાર સંવર્ગની ભરતી કરવા નિર્ણય લેવાયો હતો. પરંતુ કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ) સંવર્ગની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ સંવર્ગની જગ્યાઓ જુનિયર ઈજનેર (સિવિલ), જુનિયર ઈજનેર (ઈલેકટ્રીકલ), અને જુનિયર ઈજનેર (મિકેનીકલ)ની જગ્યા માટે તા. ૧૮-૧-૨૬ના લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બપોરે ૩ થી ૫:૩૦ સુધી સિલ્વર ઓક યુનિવર્સિટી, ભાવિક પબ્લિકેશન પાસે ગોતા, અમદાવાદમાં યોજવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial