Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રથમ વખત યોજાશે ઐતિહાસિક ઈનામી મહા રકતદાન કેમ્પઃ પ્રથમ ૧૧ને અપાશે કિંમતી ભેટ

ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: સૌરાષ્ટ્રના કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જામનગર શહેરના આંગણે એક ભવ્ય અને ઐતિહાસિક સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. મધર્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જામનગર દ્વારા શુક્રવાર, તારીખ ૨૪-૦૭-૨૦૨૬ ના રણજીતસાગર રોડ પર આવેલ મારૂ કંસારા હોલમાં એક 'મહા રક્તદાન કેમ્પ' યોજાવા જઈ રહૃાો છે. સવારે ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ચાલનારા આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અનોખી પહેલ કરવામાં આવી છે. માનવ સેવાના આ મહાયજ્ઞમાં રક્તદાન થકી જીવનદાન આપનાર રક્તદાતાઓ માટે લાખો રૂપિયાના આકર્ષક ઇનામો સાથેના લક્કી ડ્રોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પનું મુખ્ય આકર્ષણ તેમાં રખાયેલ 'લક્કી ડ્રો' છે, જે યુવાનો અને રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જગાવી રહૃાો છે. આયોજકો દ્વારા જાહેર કરાયેલી નિયમાવલી અનુસાર, પ્રત્યેક રક્તદાતાને રક્તદાન કર્યા બાદ એક વિશેષ કૂપન આપવામાં આવશે. આ કૂપનનો એક હિસ્સો રક્તદાતાને અપાશે જ્યારે બીજો હિસ્સો લક્કી ડ્રોના બોક્સમાં સુરક્ષિત રાખવામાં આવશે. સાંજે ૭:૦૦ વાગ્યે રક્તદાન કેમ્પ પૂર્ણ થયા બાદ તુરંત જ સ્થળ પર જ પારદર્શક રીતે લક્કી ડ્રો યોજાશે, જેમાં કુલ ૧૧ ભાગ્યશાળી રક્તદાતાઓને સ્થળ પર જ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઇનામોમાં પ્રથમ ૧૦ વિજેતાઓને સ્માર્ટ અને અત્યાધુનિક 'સેમસંગ એ૧૭ (ફાઈવ-જી)' સ્માર્ટફોન આપવામાં આવશે, જ્યારે ૧૧માં ભાગ્યશાળી રક્તદાતાને બમ્પર ઇનામ સ્વરૂપે 'હોન્ડા એક્ટિવા' સ્કૂટર અર્પણ કરવામાં આવશે.

મધર્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને મેડિકલ ક્ષેત્રે રક્તની અછતને દૂર કરવાના ઉમદા હેતુથી લેવાયેલું આ પગલું ખરેખર પ્રશંસનીય છે. આયોજકો દ્વારા જામનગરની જનતાને આ પવિત્ર કાર્યમાં મોટા પ્રમાણમાં જોડાઈને રક્તદાન કરવા અને સાથે જ આકર્ષક ઇનામો જીતવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સેવાકીય મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રક્તદાન એ જ મહાદાન'ની ભાવનાને સાર્થક કરતો આ કેમ્પ જામનગરના સેવાકીય ઇતિહાસમાં એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરશે, તેવી આશા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh