Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરનાર નગરના કારખાનેદાર સામે નોંધાયો ગુન્હો

પોલીસ દ્વારા રખાઈ રહી છે સોશિયલ મીડિયા પર નજરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગરના એક કારખાનેદારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર કરેલી વિવાદિત પોસ્ટ અંગે પોલીસે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો નોંધ્યો છે. હાલની તણાવભરી પરિસ્થિતિમાં આ આસામીએ દેશની એકતા, અખંડિતતા જોખમાય તે પ્રકારનું લખાણ પોસ્ટમાં લખ્યું હતું.

સમગ્ર ભારતમાં યુદ્ધ જેવી ૫રિસ્થિતિ સર્જાયેલી છે ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક વાંધાજનક લખાણો તથા કરવામાં આવતી કેટલીક પોસ્ટ પર નજર રાખવા માટે અપાયેલી સુચનાના પગલે ગઈકાલે જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં પ્લોટ નં.૩૫૫માં રાઘવ બ્રાસ નામનું કારખાનુ ચલાવતા અને રણજીતસાગર રોડ પર સેટે લાઈટ પાર્કમાં રહેતા કારખાનેદાર મનિષ વલ્લભભાઈ ડાંગરીયા સામે આ પ્રકારની પોસ્ટ મૂકવા અંગે ગુન્હો નોંધાયો છે.

પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ. પરમારે ખુદ ફરિયાદી બની ઉપરોક્ત ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ આ કારખાનેદારે મનિષ ડાંગરીયા નામના પોતાના ફેસબુક પેજ પર હાલમાં ભારત તથા પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ અંગે કેટલીક પોસ્ટ મૂકી હતી.

જેમાંની એક પોસ્ટ પર આખા પાકિસ્તાનનો સફાયો કરવાનો છે, અવાવરૃ જગ્યા પર સર્જીકલ સ્ટ્રાઈક કરી મીડિયામાં વાહ વાહી મેળવી મૂર્ખ બનાવવાના નથી તેમ લખી મનિષ ડાંગરીયાએ તે પોસ્ટ કરી હતી જેના પર કેટલાક વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરી હતી. હાલમાં આવી વિવાદિત પોસ્ટથી ભારતનું સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતા તેમજ સુરક્ષા જોખમાય તેવી પોસ્ટ કરવા અંગે ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh