Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ૫ૂત ઉત્કર્ષ સંઘના પૂર્વ વહીવટદારની રજૂઆત
જામનગર તા. ૧૪: આવતીકાલે ૧૫મી ઓગષ્ટ આઝાદ દિન પ્રસંગે જામનગર જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ધ્રોલ નજીક આવેલા ઐતિહાસિક ભૂચરમોરી મેદાનમાં યોજાઈ રહ્યો છે. તેથી આ પ્રસંગને અનુલક્ષીને અહિં આવેલ પ્રાચીન ભૂચરમોરી યુદ્ધ સ્મારક જે જામનગરના રાજવી તરફથી બંધાયેલ હતું. તેની હાલ જાળવણીના અભાવે દુર્દશા થતી જાય છે. તે પ્રત્યક્ષ નિહાળીને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા મંત્રી મહોદય સ્પોટ ડિસિશન લઈ શકે છે.
રાજ્ય સરકારે અહિં વર્ષો પૂર્વે લાખો રૂપિયાના ખર્ચ દ્વારા શહિદ વન ઉભું કરાયેલ છે. પરંતુ અહિં આવેલ આ ઐતિહાસિક ભૂમિના હાર્દ સમા આ પ્રાચીન યુદ્ધ સ્મારકની સતત ઉપેક્ષા થતી હોય હાલ તેનું ગુજરાત સરકાર તરફથી વહેલી તકે રીસ્ટોરેશન કરી જીર્ણોદ્ધાર હાથ ધરવા રાજપૂત ઉત્કર્ષ સંઘના પૂર્વ વહીવટદાર ભૂપતસિંહ ચૌહાણ દ્વારા જામનગર જિલ્લા કલેકટર પાસે રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial