Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમિશ્નર ટીમ સાથે દોડી ગયાઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં કોઈ સ્થળે લીકેજીંગ થતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણી કેનાલ મારફત તળાવમાં પહોંચતા મહાનગરપાલિકાનું તંત્ર ધંધે લાગ્યું છે.
જામનગરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં આજે દુર્ગંધયુક્ત અને ગંદા પાણીની કેનાલ મારફત આવક થઈ હતી. આ અંગેની જાણ થતા જ મ્યુનિ. કમિશ્નર, અધિકારીઓની ટીમ સાથે દોડી ગયા હતાં અને સંબંધિત વિભાગને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની સૂચના આપી હતી.
પવનચક્કીથી તળાવ સુધીના માર્ગમાં ભૂગર્ભમાં કોઈ સ્થળે લાઈન તૂટી છે. આથી ગંદા પાણી કેનાલમાં વહેતા થતા તળાવ સુધી પહોંચ્યા હતાં. જે તળાવમાં રહેલા પાણીના જથ્થાને પણ દુષિત કરી શકે છે.
કેનાલમાં અમુક સ્થળે ઝાળી લગાવી દેવાઈ છે, જેને ખોલીને તેમાંથી ગેસ બહાર કાઢ્યા પછી આ સેલરની મરામત કામગીરી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial