Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં જેઠ પૂર્ણિમા પર વટસાવિત્રી વ્રતની ઉજવણી

પરીણિતાઓ દ્વારા વડપૂજન કરવામાં આવ્યું:

                                                                                                                                                                                                      

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં જેઠ મહિનાની પૂનમ અર્થાત વટ સાવિત્રી પૂનમની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ દિને પરીણિત મહિલાઓ પતિનાં દિર્ધાયુષ્ય માટે તથા સુખી દામ્પત્ય જીવન માટે વડનાં વૃક્ષનું પૂજન કરે છે. આ વર્ષે પણ આ પરંપરા નિભાવાઇ હતી. શહેરનાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરનાં પટાંગણમાં આવેલ વિરાટ વડલાઓનું પરીણિતાઓએ પૂજન કર્યુ હતું. બ્રાહ્મણો દ્વારા વિધિવત પૂજા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત વડલાનાં વૃક્ષો ધરાવતા અન્ય દેવમંદિરોમાં પણ પરીણિતાઓએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. પંચાગ અનુસાર આવતીકાલે સવારે પણ વડપૂજનનું મુહૂર્ત હોય બુધવારે પણ પરીણિતાઓ વ્રત કરી વડપૂજન કરશે તથા મંદિરોમાં પણ ઉદિયાત તિથિ અનુસાર બુધવારે પૂનમની ઉજવણી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh