Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં હોટલના વ્યવસાયીને એક વર્ષની કેદ અને રૂ.૧ લાખના વળતરનો હુકમ

નગરના આસામીએ નોંધાવી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના એક આસામી પાસેથી હોટલના વ્યવસાયીએ રૂ.૧ લાખ હાથઉછીના લઈ આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.

જામનગર સર્વોદય સોસાયટીમાં રહેતા નીશિથભાઈ ધીરજલાલ મહેતા પાસેથી દરેડ ફેસ-થ્રી નજીક સોમનાથ હોટલ ચલાવતા વિજય ભગવાનજી મુંગરાએ રૂ.૧ લાખ ૧૧ મહિના માટે હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે વિજય મુંગરાએ ચેક આપ્યો હતો.

ઉપરોક્ત ચેક નિશીથભાઈએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા સહી ફરકના શેરા સાથે તે ચેક પરત ફર્યાે હતો. નિશીથભાઈએ નોટીસ પાઠવ્યા પછી વિજય મુંગરા સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિજય મુંગરાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh