Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રચાર સિવાય મોદી સરકારે ૧૧ વર્ષમાં કાંઈ કર્યું નથીઃ એલઓપી
નવી દિલ્હી તા. ૧૦: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી નેતા રાહુલ ગાંધીએ મુંબઈ ટ્રેન દુર્ઘટનાને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, મોદી સરકાર ૧૧ વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે, પરંતુ મુંબઈની ટ્રેનની દુર્ઘટના દેશની સચ્ચાઈ રજૂ કરે છે. આજની રેલવે અંધાધૂંધી, ભીડ અને અસુરક્ષાનું પ્રતીક બની ગઈ છે. મોદી સરકાર વર્ષ ર૦૪૭ ના સપના દેખાડે છે, પરંતુ વર્ષ ર૦રપ ની વાત કરતી નથી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં કરેલા આ સાબ્દિક પ્રહારો પછી ભાજપની પ્રચાર બ્રિગેડ યુપીએ સરકાર તથા તે પહેલાની હાલના વિપક્ષની સરકારે સત્તામાં હતી, ત્યારે થયેલી ટ્રેન દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરીને વળતા પ્રહારો કરી રહી છે, તો કોંગ્રેસ કહે છે કે મોદી સરકાર આજે ભાજપ ભૂતકાળની ઘટનાઓ અને ભવિષ્યના સપનાઓ વર્ણવીને વર્તમાનની પોતાની નિષ્ફળતાઓ છૂપાવે છે, પરંતુ જનતા બધું જ જાણે છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial