Advertisement
Author: નોબત સમાચાર

શેઠવડાળામાં મકાનમાં દોઢ મહિનામાં બીજી વખત ચોરીઃ રૂ. સાડા છ લાખની મત્તા ગઈ

શેઠવડાળામાં જ અન્ય એક મકાનમાં પણ તસ્કરોનો હાથફેરોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામજોધપુરના શેઠવડાળા ગામમાં આવેલા એક મકાનમાં ગયા બુધવારની સાંજથી ગુરૂવારની સવાર સુધીમાં રૂ.દોઢેક લાખની મત્તા ચોરાઈ ગઈ હતી. તે મકાનમાં દોઢેક મહિના પહેલાં પણ રૂ.સાડા ચાર લાખ ઉપરાંતની મત્તાની ચોરી થયાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મકાનમાંથી રૂ.૬૦ હજાર રોકડા તથા સોનાની બુટી ચોરાઈ ગઈ છે.

જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં વસવાટ કરતા અને લોન તેમજ વીમાના કામકાજ સાથે સંકળાયેલા ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા નામના આસામીના મકાનમાં ગયા બુધવારની બપોરના ચાર વાગ્યાથી ગુરૂવારે સવારના અગિયાર વાગ્યા સુધીમાં ચોરી થઈ છે.

જામનગરમાં પોતાનું કામકાજ કરતા ચિંતનભાઈના માતા તથા પિતા સમાણામાં વસવાટ કરે છે. ગયા સપ્તાહે જામનગરમાં એક સંબંધીનું અવસાન થતાં ચિંતનભાઈના માતા-પિતા ગયા બુધવારે સાંજે ચારેક વાગ્યે પોતાનું મકાન બંધ કરી જામનગર આવવા માટે નીકળ્યા પછી ગુરૂવારે સવારે પરત પહોંચ્યા તે દરમિયાન હાથફેરો થઈ ગયો હતો.

તેમના મકાનમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદર આવેલા એક ઓરડામાં કબાટ ખોલી નાખી તેમાં રાખવામાં આવેલા પર્સમાંથી સોનાનો પેંડલવાળો સોળ ગ્રામ વજનનો ચેઈન, બાળકો માટેના સોનાના ત્રણ ચગદા, નાકમાં પહેરવાના બે દાણા, એક બાલી, બાળક માટેનું ૧૮ ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો અને રૂ.રપ હજાર રોકડા તસ્કરે ઉઠાવી લીધા હતા. કુલ રૂ.૧,૫૪,૩૦૦ની મત્તા ચોરાઈ ગઈ હતી.

ઉપરોક્ત ચોરીની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ચિંતનભાઈએ ફરિયાદ નોંધાવવા ઉપરાંત જણાવ્યું છે કે, દોઢેક મહિના પહેલાં પણ તેમના ઘરમાં આ જ રીતે ચોરી થઈ હતી. તેમાં પણ સોનાનો પેંડલવાળો ૨૦ ગ્રામ વજનનો ચેઈન, એક પેંડલ વગરનો ચેઈન, કાનમાં પહેરવાની સળીઓ, બે બુટી તથા રૂ.૨૦ હજાર રોકડા ચોરાઈ ગયા હતા. તે વખતે પણ કુલ રૂ.૪ લાખ ૬૫ હજારની મત્તા ગઈ હતી. પોલીસે કુલ રૂ.૬,૧૯,૩૦૦ની મત્તાની ચોરી થયાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

ઉપરોક્ત ફરિયાદ ઉપરાંત સમાણા ગામના જ મનિષાબેન નિલેશભાઈ ગોહિલ નામના મહિલાના મકાનમાં પણ ગઈ તા.૨૪ મેની સાંજથી ગઈકાલ સુધીમાં ચોરી થઈ છે. તેમના રહેણાંકમાં ઘૂસી જઈ તસ્કરે એક ઓરડાના દરવાજા પાછળ ખુલ્લા કબાટમાં મૂકવામાં આવેલા કબાટ નીચે રાખેલું પર્સ શોધી કાઢી તેમાંથી કાનની બુટી તથા રૂ.૬૦ હજાર રોકડા મળી રૂ.૬૫ હજારની મત્તાની ચોરી કરી હતી. મનિષાબેને પણ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh