Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના એક અભ્યાસનો સ્ટડી રિપોર્ટ
નવી દિલ્હી તા. ૨૭: સી-ડીઈપી રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર ડબલ્યુટીઓ સ્ટડીઝ દ્વારા આજે *ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા* (ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસર) શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, એમએસએમઈ, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસરોને ચકાસવામાં આવી છે. અહેવાલ અનુસાર, સરકાર દ્વારા હાલમાં જે ઉત્પાદનોનું મૂલ્યાંકન કરવામાં આવી રહૃાું છે તેના પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાથી અંદાજે વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા (૩ બિલિયન યુએસ ડોલર) ના વિદેશી હૂંડિયામણની બચત થશે અને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સ્થાનિક રોકાણને વેગ મળશે.
વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર ડબલ્યુટીઓ સ્ટડીઝના વડા શ્રી પ્રીતમ બેનર્જી દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભારતના મુખ્ય સ્થાનિક ઉદ્યોગોના અગ્રણીઓ સાથેની એક ગોળમેજી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેમિકલ્સ, પોલિમર્સ, ટેક્સટાઈલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોના ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકઠા થયા હતા, જેમની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને ચીન અને અન્ય દેશો દ્વારા કરવામાં આવતા ડમ્પિંગથી ઊંડી અસર પહોંચી છે. આ સ્થાનિક ઉત્પાદકો ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે.
૩૩ ઉત્પાદનોના અભ્યાસ દર્શાવે છે કે હાલના સમયગાળામાં ડમ્પ કરાયેલી આયાતથી થતું આર્થિક નુકસાન આશરે ૧.૫૪ લાખ કરોડ રૂપિયા છે, અને ૨૦૩૦ સુધીમાં તે વધીને ૨.૬૮ લાખ કરોડથી ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની વચ્ચે પહોંચવાની સંભાવના છે, જેની સાથે જોખમમાં મુકાયેલી રોજગારી સંખ્યા આશરે ૨૪,૦૦૦ થી વધીને ૩૮,૦૦૦-૪૨,૦૦૦ થઈ શકે છે. આ તારણો આયાત-પ્રેરિત બજારની વિસંગતતાઓને કારણે ભારતના અર્થતંત્ર અને રોજગાર પર થનારી લાંબા ગાળાની અસરો દર્શાવે છે.
અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ડાઉનસ્ટ્રીમ ખર્ચ પર નહિવત અસર થાય છે અને ફુગાવા પર તેની અસર અતિશય ઓછી છે. ડીજીટીઆર દ્વારા ભલામણ કરાયેલા ૫૬ એવા કિસ્સાઓનું વિશ્લેષણ જ્યાં ડ્યુટી લાગુ કરવામાં આવી ન હતી, તે દર્શાવે છે કે અંતિમ ગ્રાહક કિંમતો પર તેની મધ્યમ અસર માત્ર ૦.૦૨૩ ટકા હોત, જેમાં ૯૧ ટકાથી વધુ કિસ્સાઓમાં આ અસર ૦.૧૦ ટકાથી ઓછી હતી. જો એવી ધારણા રાખવામાં આવે કે ૫૦ ટકા બોજો ગ્રાહક પર નાંખવામાં આવશે તો પણ, ૨૧ પેન્ડિંગ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ઉત્પાદનોનો ફુગાવામાં હિસ્સો ૦.૦૧ ટકાથી ઓછો છે. આ સાબિત કરે છે કે આ ડ્યુટી અંતિમ ગ્રાહકો માટે કિંમતોમાં કોઈ મોટો વધારો કરતી નથી, જ્યારે સ્થાનિક ઉત્પાદકો માટે વાજબી સ્પર્ધા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે.
અહેવાલમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન કરવાના કારણે એમએસએમઈ (નાના ઉદ્યોગો) પર પડતી અપ્રમાણસર અસરો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સતત થતી ડમ્પ આયાતને કારણે સબ્લિમેશન-ટ્રાન્સફર પેપર, ફોન બેક કવર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન જેવા ક્ષેત્રોમાં પ્લાન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે. એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન થવાથી એમએસએમઈ સહિતના સ્થાનિક ઉદ્યોગો પર વિનાશક અસર પડી રહી છે, અને તેનાથી આયાત પરની નિર્ભરતા વધી છે તેમજ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો નાશ થયો છે. આનાથી વિપરીત, કેબલ ટાઈઝ, સિરામિક વેર અને વેક્યૂમ ફ્લાસ્ક જેવા ક્ષેત્રોમાં સમયસર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીના હસ્તક્ષેપને કારણે સ્થાનિક એમએસએમઈએસ ને કામગીરી ચાલુ રાખવા, ઉત્પાદન વધારવા અને નવું રોકાણ આકર્ષવામાં મદદ મળી છે.
અહેવાલમાં વિશ્લેષણ કરાયેલા આંકડા દર્શાવે છે કે ભારત એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો દુરુપયોગ કરી રહૃાું નથી. તેનાથી ઉલટું, યુએસએ અને અન્ય ઘણા દેશો ભારત કરતાં ઘણી મોટી માત્રામાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો ઉપયોગ કરી રહૃાા છે. ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો સરેરાશ ગાળો ૬.૯૭ વર્ષ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૧૧.૧૯ વર્ષની છે. અમેરિકા અને ચીન જેવા દેશો, જેમણે ૬૩૨% જેટલી ઊંચી ડ્યુટી લાદી છે, તેની સરખામણીમાં ભારતમાં ડ્યુટીના દરો સામાન્ય રીતે ઘણા ઓછા રહે છે. આ પ્રથાઓ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ રહી છે, કારણ કે ભારતની એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ભલામણો હંમેશા ડબલ્યુટીઓના વિવાદોમાં યોગ્ય ઠરી છે.
અહેવાલ દર્શાવે છે કે વિદેશી હૂંડિયામણના આઉટફ્લો (વ્યય) ને ઘટાડવાની સાથે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને સુરક્ષિત કરવા માટે, ડીજીટીઆર દ્વારા ભલામણ કરાયેલ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો તાત્કાલિક અમલ કરવાની જરૂર છે. જે ક્ષેત્રોમાં ભારત પાસે પૂરતી સ્થાનિક ક્ષમતાઓ ઉપલબ્ધ છે, ત્યાં ડમ્પ કરાયેલી આયાતને મંજૂરી આપવી તે ભારતીય અર્થતંત્ર અને રૂપિયા માટે નુકસાનકારક છે. એન્ટી-ડમ્પિંગ ડ્યુટી સમયસર લાગુ કરવાથી આજે સ્થાનિક ક્ષમતાઓમાં પૂરતું રોકાણ સુનિશ્ચિત થશે, ૨૦૩૦ સુધીમાં માંગ અને પુરવઠા વચ્ચેનો મોટો તફાવત અટકાવી શકાશે, આયાતી માલ પર ભારતની નિર્ભરતા ઘટશે, ઔદ્યોગિક સ્થિતિસ્થાપકતા મજબૂત થશે અને ૨૦૪૭ સુધીમાં પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવામાં યોગદાન મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial