Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જૈન સમાજ માટે વર્ષિતપનું આયોજનઃ તપસ્વીઓને જોડાવા અનુરોધ

જામનગરમાં સ્થાનવાસી જૈન સંઘ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગરના સ્થાનકવાસી જૈન સંઘ (મોટા સંઘ) હેઠળ હાલ વર્ષિતપ ચાલી રહ્યા છે, જેમાં ૪પ શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા છે. આ વર્ષિતપમાં હજુ પણ વધુ તપસ્વીઓ જોડાઈ તેવી ઈચ્છા દાતા સંઘમાતા હેમલતાબા પરિવારની છે. આથી વર્ષિતપમાં જોડાવા માગતા તપસ્વીઓએ તેમનું નામ મંજુબેન મહેતાને નોંધાવાના રહેશે. અતરવાયણા અને પારણા લોકાગચ્છ વાડી, ચાંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યા છે. શ્રાવક-શ્રાવિકાઓને બહોળી સંખ્યામાં આ તકે જોડાવા દાતા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘ ચાંદીબજાર કમિટીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh