Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કોંગ્રેસની રજૂઆતઃ
જામનગર તા.૮: જામનગરના પટેલ કોલોનીના અમુક વિસ્તારોમાં ગંદા પાણીનું નળ વાટે વિતરણ થઈ રહ્યું છે. ઉપરાંત મચ્છરનગરમાં પાણીની પાઈપલાઈન ઊંડી નાખવાના બદલે અદ્ધકચરૂ કામ થયું હોવાના મુદ્દે આજે મહાનગરપાલિકામાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, પટેલ કોલોની વિસ્તારમાં ગટરનું મીશ્રીત પાણી વિતરણ થાય છે. આથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આથી સ્વચ્છ પાણી વિતરણ કરવામાં આવે તે જરૂરી છે.
શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર મહાનગરપાલિકા કચેરીમાં પાઠવાયું હતું. તાજેતરમાં મચ્છરનગરના બાપા સિતારામ મઢુલીથી મોમાઈનગર સુધીના સીસી રોડના કામ અન્વયે છ માસ પહેલા પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. જે પાઈપલાઈન માત્ર એક ફૂટ જમીનમાં ખોડો કરીને નાખવામાં આવી છે, જે પાઈપલાઈન ત્રણેક ફૂટ ઊંડી નાખવી જોઈએ. આથી સ્પષ્ટ થાય છે કે પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર થયો છે.
આ ભ્રષ્ટાચારને દાબી દેવા માટે તાકીદે રોડનું કામ શરૂ કરાયું હતું. આથી સત્વરે આ કામ અટકાવવું જોઈએ અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત કરી અને તેના જ ખર્ચે પાઈપલાઈન ત્રણ ફૂટ ઊંડી નાખવાની કામગીરી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial