Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક કોર્પોરેટરનો આક્રોશઃ
જામનગર તા. ૯: જામનગરના વોર્ડ નં. ૪માં પાણીના અનેક પ્રશ્નો અંગે અવાર-નવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર દાદ આપતું નથી તેવો આક્રોશ સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કર્યો છે.
તેમના જણાવ્યા મુજબ વોર્ડ નં. ૪માં અનેક વિસ્તારોમાં છેલ્લા ૬ માસથી પાણીના પ્રશ્ને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પાણી વિતરણનો કોઈ ચોક્કસ નિયત સમય નથી. ક્યારેક સાંજે ૫ વાગ્યે, તો ક્યારેક એક-બે કલાક મોડું પાણી વિતરણ થાય છે. અમુક વિસ્તારોમાં ડહોળું પાણી વિતરણ થાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં શાસકો દાદ આપતા નથી. સામાન્ય સભામાં અવાજ ઉઠાવવા દેવામાં આવતો નથી. ઘરણાં કરવા દેવામાં આવતા નથી, અધિકારીઓ રજૂઆતો સાંભળતા નથી, પરિણામે લોકો પરેશાન થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial